Books · Pravachan
લોકાપવાદ ત્યાગ
Lokapvad Tyag
Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust
No reviews yet
Sign in to read online
પૂજ્યશ્રીએ ‘લોકાપવાદભીરુતા’ અંગે આ નાનકડી પુસ્તિકામાં અદ્ભુત લખાણ કર્યુ છે. જે પ્રવૃત્તિ પ્રત્યે સારા માણસો - શિષ્ટ લોકો - આંગળી કરે, ઠપકો આપે એવી તમામ પ્રવૃત્તિ કરતાં અંતરમાં ફફડાટ ઉત્પન્ન થવો, ભય જાગી જવો જોઇએ કે, ‘સારા માણસો મારા માટે શું બોલશે ? કે હું ખરાબ માણસ છું?’ - આનું નામ ‘લોકાપવાદભીરુતા’ જો નિષ્પાપ જીવન જીવવું હોય, આ લોકમાં શાન્તિ અને મરણમાં સમાધિ પામવી હોય તો સહુ ‘લોકાપવાદભીરુ’ બની જાઓ. શ્રીમંતાઇનો નશો ચડ્યા પછી આ જગતના શિષ્ટ પુરુષોનો પણ એ શ્રીમંતોનો ભય રહેતો નથી. આ નિર્ભયતા તેમના જીવનની ચાદર પાપોથી કાળીમેંશ કરી નાખે છે. એક સમય એવો હતો કે દેવાળું ફૂંકનાર માણસ રકમ પૂરેપૂરી ભરપાઇ કરી શકે તેમ ન હોય તો આત્મહત્યાના માર્ગે ચાલ્યો જતો, જયારે આજે જાણી બુઝીને દેવાળું ફૂંકી નાંખ્યાની જાહેરાતો કરવામાં અપાર ગૌરવ અનુભવાય છે. જે આર્ય માનવ સ્વભાવિક રીતે જ પાપ ન કરતાં તે ઉત્તમ આર્ય કહેવાતો. પરલોકના દુઃખભયથી જે પાપ ન કરતો તે મધ્યમ આર્ય કહેવાતો અને લોકાપવાદ (પાપ કરીશ તો લોકો મારી નિંદા કરશે)ના ભયથી જે પાપ ન કરતો તે અધમ કક્ષાનો આર્ય ગણાતો. છેલ્લી કક્ષાના આર્ય બનવું પણ આજે મુશ્કેલપ્રાયઃ બની ગયું છે. જેણે માણસ બનવું હોય તેણે સદાચારી બનવું જ જોઇએ. એમાં પ્રાથિમક કક્ષાના કેટલાક સદાચારોમાં ‘લોકાપવાદ-ભીરુત્વ’ની અનિવાર્ય જરુરિયાત છે. Read more
Details
- Author
- Chandrashekhar Vijayji
- Publisher
- Kamal Prakashan Trust
- Type
- Books
- Language
- Gujarati
- Religion
- Jainism
- Tradition
- Shwetambar
- Subjects
- Pravachan
- Series
- —
- Published
- 2020
- Pages
- 32
- Size
- 8.27 x 11.69 in
- Format
Something wrong on this page?
Related works
- પ્રતિક્રમણ (ભાગ 2) પ્રતિક્રમણ (ભાગ 2) Unknown
- પ્રતિક્રમણ (ભાગ 1) પ્રતિક્રમણ (ભાગ 1) Unknown
-
ज्ञानार्णव प्रवचन (भाग 21)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 20)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 18)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 17)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 15-16)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 14)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 13)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 12)
Kshu. Manohar Varni
Reader reviews
No reviews yet
Nobody has reviewed this book. Be the first.
Share your thoughts
If you’ve read this book, sign in to share what you made of it with other readers.