Read now

Mahapanth Na Ajwala

દીક્ષા લેવા માત્રથી આત્મકલ્યાણ નથી થતું પણ દીક્ષાનું સુપાલન કરવાથી આલોક, પરલોક સુધરવા દ્વારા પરમલોક તરફ પ્રગતિ થાય છે. પૂજનીય શ્રમણો સંયમજીવનમાં તો જ પ્રગતિ કરી શકે જો તેઓને પૂ. ગુરુવર્યો તરફથી વાચના (હિતશિક્ષા) દાન સતત મળતું રહે. પૂજનીય શ્રમણોને અનુલક્ષીને આ પુસ્તકમાં પૂજ્યશ્રીએ અદ્‌ભુત ચિંતન-ગંગા વહાવી છે. આ ચિંતન-ગંગામાં સ્નાન કરનાર પુણ્યાત્મા જરૂર આ દીક્ષાજીવન દ્વારા મોક્ષની નજીક પહોંચવામાં સમર્થ બની શકશે એ તદૃ્‌ન સત્ય હકીકત છે. જેનો જોરદાર પુણ્યોદય હોય તે જ પુણ્યાત્મા આવા ચિંતનોનું મનન કરવા દ્વારા દુઃખમય સંસારયાત્રા પર ‘પૂર્ણવિરામ’ મૂકવા કૃતનિશ્ચયી બની શકે છે. ‘આધ્યાત્મિક વિકાસમાં છ વિઘ્નો’ પાંચમા પ્રકરણમાં દર્શાવેલ આ છ વિઘ્નો જો ‘આત્મસાધક’ સતત દ્રષ્ટિપથમાં રાખે તો ઘણા બધા અપાયોથી જાતને મુક્ત રાખવામાં સફળ બની શકે. આત્મસાધકના જીવનમાં ‘અતિ બૂરું શું ?’ તે જાણવા આ પુસ્તકને તમારે ખોલવું જ પડશે. પૂ. શ્રમણના તનના આરોગ્યની પણ કાળજી કરવા માટે માતાના હેતથી પૂજ્યશ્રીએ તન-આરોગ્ય જાળવવા માટે પણ કેટલાક જરૂરી સૂચનો જે કર્યા છે તે ખૂબ જ ઉન્નત વિચારસરણી છે. પૂજ્યશ્રીએ ખરેખર કમાલ કરી છે. જો આ પુસ્તકનું પૂ. શ્રમણો દ્વારા મનન થાય તો મુખ પર શ્રમણતેજ ઝળક્યા વિના ન રહે.
Language title : મહાપંથ ના અજવાળા
Category : Books
Sub Category : Diksha
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 112
Keywords : a

Advertisement

Share :  

Related