Skip to content

Sign in

Sign in with your phone

We will text you a 6-digit code. There is no password to remember.

First time here? Signing in creates your account.

By continuing you agree to the Terms and Privacy policy.

Cover of Jinshasan Raksha

Books · Pravachan

જિનશાસન રક્ષા

Jinshasan Raksha

Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust


Order a printed copy

Sign in to read online

ત્રિલોકગુરુ તીર્થકર પરમાત્મા મહાવીરદેવના શાસન ઉપર ઝીંકાએલા બાહ્ય અભ્યંતર આક્રમણોની ગંભીર સમજણ આપીને તે આક્રમણોને દૂર કરવા પૂજ્યશ્રીએ નક્કર ઉપાયો પણ આ પુસ્તકમાં કમનીય કલમે આલેખ્યા છે. શાસનને (તીર્થને) નમસ્કાર કરીને જ તીર્થકરદેવ સમવસરણમાં દેશના આપે છે. ‘મરીને પણ જીવવા દો’નો અલૌકિક પાઠ આ ‘શાસન’ શીખવાડે છે. જૂથબંધી, ગુમાવેલો આત્મવિશ્વાસ, નિર્માલ્યતા વગેરે ઘરના જ વિનાશક તત્વો ઉપર પૂજ્યશ્રીએ સુંદર સમજણ આપીને સત્વરે દૂર કરવાની અપીલ કરી છે. બાહ્ય આક્રમણો સામે ચારે ય પરંપરાઓના અનુયાયીઓએ સંપી જઇને ‘એકસંપી’ને આદર્શ તરીકે રાખીને ‘શાસનરક્ષા’ કરવા આગળ વધવું જ પડશે. શાસનરક્ષા નિમિત્તે અઠ્ઠમ વગેરેનો તપ, ‘નમો જિણાણં જિઅભયાણં !’ પદનો જપ, લોગસ્સનો કાયોત્સર્ગ - ત્રણેય અંતરંગ બળોનું ઉત્પાદન મોટા પ્રમાણમાં શરુ થાય તો મુશ્કેલીઓનું નિવારણ શકય બને. જિનશાસનની રક્ષા કરનારા આપણે કોણ ? એ જ આપણી રક્ષા કરી રહ્યું છે. એટલે રક્ષાને સેવાના જ (જિનશાસનસેવા) પર્યાય તરીકે વિચારવી. જિનશાસનના અસીમ બે ઉપકારો - (૧) અસાર જગતનું દર્શન કરાવ્યું. (૨) જગત્પતિ દર્શન..... રાષ્ટ્ર, પ્રજા અને સંસ્કૃતિના સ્તરોની સુરક્ષા કરવી હોય તો ‘ધર્મરક્ષા’ કરવી જોઇએ. ‘ધર્મરક્ષા’ કરવાની બાબતમાં જીવનમાં કયારેય હતાશાને સ્થાન ન જ આપવું જોઇએ. સ્વહિતની કોઇ પણ આરાધના પાછળ ‘સર્વહિત’ની જીવંત કામના હોય તો તે સ્વહિતજનિત પુણ્યબળ સર્વહિતમાં પરિણમે. Read more

Details

Type
Books
Language
Gujarati
Religion
Jainism
Tradition
Shwetambar
Subjects
Pravachan
Series
Published
2020
Pages
86
Size
8.27 x 11.69 in
Format
PDF

Related works

Reader reviews

No reviews yet

Nobody has reviewed this book. Be the first.

Share your thoughts

If you’ve read this book, sign in to share what you made of it with other readers.

New books, by email