Books · Youth
અય, યુવાન! ઊઠ ઊભો થા
Ay Yuvan Uth Ubho Tha
Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust
Sign in to read online
ગુમરાહ બનેલા યુવાન અને યુવતીઓના જીવનનું રાહબર બનતું, તેમના જીવનનું ઉર્ધ્વીકરણ કરતું, તેમના તન, મનને ઓજસ્વી અને તેજસ્વી બનાવતું, તેમને ‘કામહરિ’ની મંત્રદીક્ષા આપતું પૂજ્યશ્રીનું આ પુસ્તક ખૂબ લાભદાયી સાબિત થાય તેમ છે. આ પુસ્તકને બે ખંડમાં વહેંચી દેવામાં આવ્યું છે. પ્રથમ ખંડમાં પૂજ્યશ્રીએ ‘પશ્ચિમની જીવનશૈલીએ પૂર્વની મહાન જીવનશૈલી ઉપર કેવું ગોઝારું આક્રમણ કર્યુ છે.’ તે વાત સમજાવી છે. તે પછી આ આક્રમણનો ભોગ યુવાનો અને યુવતીઓ કેટલી ભયંકર રીતે બન્યા છે તે જણાવ્યું છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે પૂજ્યશ્રીએ બે ઉપાયો સૂચવ્યા છે : (૧) ભવાલોચના કરવી. (૨) પરમાત્માને ત્રણ પ્રાર્થના કરવી. એ પછી બીજા ખંડનું પ્રભાત ઉગે છે. પૂર્વોેક્ત બે ઉપાયોથી નિર્મળ અને નિર્ભય બનેલા યુવાનોને કાં રાષ્ટ્ર રક્ષાના અથવા ધર્મ રક્ષાના (ઉત્તરોત્તર કઠિન અને ઉત્તમ) કાર્યોમાં જોડાઇ જઇને કામહરિ બનવાની પૂજ્યશ્રીએ પ્રેરણા કરી છે. ત્યારબાદ પૂજ્યશ્રી લખે છે કે આવો ‘કામહરિ’ તે જ બની શકે, જેનામાં ભરપૂર શૌર્ય હોય, એવું શૌર્ય તે જ પામી શકે જે કટ્ટર શીલવાન હોય, એવો સાચો શીલવાન તે જ બની શકે જે શીલપાલનમાં અંતરંગ બે બાધક દોષો - અહંકાર અને ધિક્કારનો ત્યાગ કરીને પરમાત્માનો ભક્ત અને જીવમાત્રનો મિત્ર બન્યો હોય. શીલવાન બનવા માટેના બહિરંગ કારણોના સેવનની સાથે આ બે અભ્યન્તર ભાવોની જમાવટ અત્યંત આવશ્યક છે. સર્વનાશની ખાઇ તરફ તીવ્ર વેગથી ધસતા રહેલા રાષ્ટ્ર, પ્રજા, સંસ્કૃતિ અને ધર્મને છેવટે સ્પીડ બ્રેકરો મૂકીને પણ તાત્કાલિક રીતે ઉગારી લેવાની પૂજ્યશ્રીએ ચિન્તા વ્યક્ત કરી છે. Read more
Details
- Author
- Chandrashekhar Vijayji
- Publisher
- Kamal Prakashan Trust
- Type
- Books
- Language
- Gujarati
- Religion
- Jainism
- Tradition
- Shwetambar
- Subjects
- Youth
- Series
- —
- Published
- 2020
- Pages
- 194
- Size
- 8.27 x 11.69 in
- Format
Related works
- પ્રતિક્રમણ (ભાગ 2) પ્રતિક્રમણ (ભાગ 2) Unknown
- પ્રતિક્રમણ (ભાગ 1) પ્રતિક્રમણ (ભાગ 1) Unknown
-
योगसार
Shri Yoginandudev
-
वीतराग पुजा संग्रह
Unknown
- वैराग्य अनुप्रेक्षा वैराग्य अनुप्रेक्षा Acharya Shivkoti
-
વૈરાગ્ય ભાવના
Unknown
-
વૈરાગ્ય અનુપ્રેક્ષા
Acharya Shivkoti
-
उत्कर्ष (कॅलेन्डर 2020)
Unknown
-
तिलका मंजिरी (भाग 3)
Unknown
-
तत्त्वार्थ सूत्र विधान
Unknown
Reader reviews
No reviews yet
Nobody has reviewed this book. Be the first.
Share your thoughts
If you’ve read this book, sign in to share what you made of it with other readers.